શનિવાર, 31 ઑક્ટોબર, 2009

શાંતિપ્રાપ્તિનો કીમિયો

બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે : અશક્ય, અમારી બંને વચ્ચે શાંતિ સ્થાપવાનું તદ્દન અશક્ય છે ! અને વળી પાછી અશાંતિ સર્જવાની તૈયારી-શરૂઆત કરી દે છે.
આજનો માણસ અશાંત છે, બેચેન છે, વ્યગ્ર છે, કારણ કે તે બહારથી નહીં પણ અંદરથી વિક્ષુબ્ધ છે. એણે અપરાજેય પ્રકૃતિ પર વિજય મેળવ્યો, વંધ્ય અને ખરબચડી ભૂમિને મબલક પાક આપતી બનાવી, સુખ-સગવડોના અંબાર ખડકી દીધા, પણ એ બધા પાછળ હતી સુવિધાઓ પામવાની સંયમહીન ભૂખ. એ વિવેકહીન ભૂખે ભૌતિક યુગના માનવીના વ્યક્તિત્વને વેરવિખેર કરી નાખ્યું છે. વિવેકશૂન્ય વિકાસ વિનાશની જનની છે એ વાત આપણે સાવ વીસરી ગયા નથી શું ?
શાંતિ માનવજીવન સમગ્ર વિશ્વ માટે પરમ પાવન અને આવકાર્ય સુખસ્ત્રોત છે અને એ શાંતિની પ્રાપ્તિનો કીમિયો છે, આવશ્યકતા અને અપેક્ષાઓનું ‘સ્ટેગરિંગ’ અને ક્રમશ: આત્મસંયમ. વીજળીનું સ્ટેગરિંગ સહેવા આપણે તૈયાર છીએ, પણ વૃત્તિઓનો સ્વૈરવિહાર રોકવા આપણે તૈયાર નથી. આત્મસંયમનું અજવાળું જ જીવનમાં ઊભરાતાં અંધારાને ઉલેચી શકે.જે વાત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શાંતિની સમસ્યાને લાગુ પડે છે, તે જ વાત વિશ્વશાંતિ અથવા દેશ-દેશ વચ્ચેની શાંતિને લાગુ પડે છે. ગાંધીજીએ તેથી જ કહ્યું છે કે જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી, એમ માનવા બરાબર છે. અત્યાર સુધી જે ઈલાજો અજમાવવામાં આવ્યા છે, તે એળે ગયા છે, એનું કારણ એ છે કે જેમણે શાંતિ માટે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન તેમને રહ્યું નથી, એવું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઈ રસાયણી સંયુક્ત દ્રવ્ય તૈયાર થઈ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતો પૈકી થોડીક જ પળાઈ હોય તો શાંતિની સ્થાપના ન થઈ શકે.
‘તારો ચંદ્ર વધુ શીતળ’ પુસ્તકમાંથી સાભાર.

શુક્રવાર, 23 ઑક્ટોબર, 2009

હિન્દી ગઝલ

ना कभी इस कदर हवा भी हो,
यार मेरा कहीं जुदा भी हो !

मैंने होठो़ से ना कहा भी हो,

वो मगर दिल की सुनता भी हो !

उनकी ही खास ये अदा भी हो,

शोखी के साथ में हया भी हो !

लाल हुई हैं आँखे सुरज की,

रात को देर तक जगा भी हो !

मैं ही शायद निकल गया आगे,

वक़्त कुछ देर तक रुका भी हो !

जिन्दगीभर की है दुआ “सुधीर”,

आज हक में मेरे खुदा भी हो !
-सुधीर पटेल

ગુરુવાર, 15 ઑક્ટોબર, 2009

દિલમાં દીવો કરજો !

જ્યારે આસપાસ હો અંધારું, દિલમાં દીવો કરજો !
અજવાળું ફેલાશે પરબારું, દિલમાં દીવો કરજો !

આ ચોઘડીયું છે સુંદર, લીંપી આંગણિયું ને ઉંબર;
મૂરત જાળવવા શુભ ને સારું, દિલમાં દીવો કરજો !

બ્હાર હવાનાં તોફાનો, અંદર પણ છે કૈં અરમાનો ;
તેલ તમે પૂરજો કૈં સધિયારું, દિલમાં દીવો કરજો !

યુગો બાદ મળી છે જ્યોતિ, આજ પરોવી લો મોતી ;
પળ નહિ પૂરું જીવન શણગારું, દિલમાં દીવો કરજો !

એ ભલે નથી કૈં સૂરજ, પણ કરશે રોશન સૌ બૂરજ ;
સુખ ‘સુધીર’ ટમટમશે સહિયારું, દિલમાં દીવો કરજો !
-સુધીર પટેલ

બુધવાર, 7 ઑક્ટોબર, 2009

દિલ ઢૂંઢતા હૈ

જી ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસદ કે રાત દિન,
બૈઠે રહે તસવ્વુરે – જાનાં કિયે હુએ.’- ગાલિબ

ગાલિબ આ શેરમાં પ્રેમના એ મુગ્ધાવસ્થાના દિવસોની વાત કહે છે જેમાં નિરાંતે પ્રિયતમાની કલ્પના રાત દિવસ કરી શકાતી હતી. એ જમાનો વિતી ગયો છે અને હવે જીવનની વ્યસ્તતામાં આવો પ્રણય સંભવ નથી. માટે દિલ એ ફુરસદ શોધી રહ્યું છે જેમાં મુગ્ધતાનો એ સમય પાછો લાવી શકાય. આ શેરમાં ‘ફિર’ શબ્દ પર ભાર મુકાયો છે જે વિતેલા સમયનો અહેસાસ અપાવે છે. પ્રેમ ભલે હોય પણ મુગ્ધાવસ્થાનો સમય બહુ લાંબો ટકતો નથી. એ દિવસો જેવી કલ્પનાની ઉડાન અને નિરાંત પાછી આવતી નથી. ‘મોસમ’ ફિલ્મમાં ગુલઝારે આ શેરનો મુખડા તરીકે ઉપયોગ કરી એક ગીત રચ્યું હતું. જેમાં અક્ષર ‘જી’ ના સ્થાને ‘દિલ’ શબ્દ વાપર્યો છે.
–સૌ. શ્રી બકુલ બક્ષી.

સોમવાર, 5 ઑક્ટોબર, 2009

વિચારવા જેવા વિચાર

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી. — કાકા કાલેલકર
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે. — યોગવસિષ્ઠ
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. — સ્વામી વિવેકાનંદ
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે. — સ્વામી અખંડઆનંદ સરસ્વતી
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. — સ્વામી વિવેકાનંદ

મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2009

વીંધી ગઝલ.

દિલમાં આંધી ગઝલ,
સત્યમાં ગાંધી ગઝલ.
છોડવું ગમશે બધું,
એક આ બાંધી ગઝલ.
અર્થનું કર લક્ષ્ય ને,
નાંખ તું વીંધી ગઝલ.
દિલની દોલત એ જ છે ,
માંગતા દીધી ગઝલ.
જોઇ એનો પ્રેમ ખૂબ,
આજ થૈ ઘાંઘી ગઝલ.
ભૂલવા આ લોકને,
દોસ્ત મેં સાધી ગઝલ.
શબ્દ તો છટપટ કરે,
છંદમાં નાથી ગઝલ.
રાકેશ ઠક્કર

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2009

બરફ : મોનો ઇમેજ - સુધીર પટેલ


(૧)
બરફ
જાણે કે
જામી ગયેલું ચોમાસું !
કે પછી
કોઇનું થીજી ગયેલું આંસુ ?!

(૨)
બરફ
થોડી રાહ જુઓ તો
પીગળે પણ ખરો !
પરંતુ
આ પથ્થર ?!

(
૩)
બરફ
એ તો છે
પાણીની વધી ગયેલી ઉંમર !
જાણે એને આવી ગયાં ધોળાં
અને સમગ્ર શરીર પર
છવાઇ ગઇ સફેદી !!

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009

અત્તર અત્તર

ડૂબતો જા ભીતર ભીતર,
ખૂંપતો જા અંદર અંદર!

પાસ જઇને દેખી જો તું,
દૂરથી તો સુંદર સુંદર!

લાગતું કે અંગત છે એ,
દિલથી તો અંતર અંતર.

જિંદગીનો મારગ લાંબો,
ચાલ તો છે મંથર મંથર!

મઘમઘી જાયે તન ને મન,
યાદ એની અત્તર અત્તર!

- રાકેશ ઠક્કર

સુભાષિતો

વગર દીધે કોઈનું તણખલુંયે ગ્રહણ ન કરવું. અન્ય વ્યક્તિનું પાપકર્મ જાહેરમાં ન મૂકવું. કોઈ વ્યક્તિની પત્ની પર જાહેરમાં દોષારોપણ ન કરવું. સુખી થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.

**

પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહન પર સવારી સારી – કારણ કે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોથી ઊંઘું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે (અતિ) દુ:ખકારક છે.

**

આટલી વસ્તુ કરવાથી માનહાનિ થાય છે માટે તે ન કરવી : નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી; અન્યને ઘેર વગર બોલાવ્યે વારંવાર જવું; જ્ઞાતિ તથા જ્ઞાતિના કોઈ સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું; તથા સંપત્તિનાશ થયા પછીનો દુ:ખદ ગાળો.

**

વિશાળ કુટુંબપરિવાર, ઘરમાં અનેક દીવાનો ઝળહળાટ, આંગણે બાંધેલી કામધેનુ જેવી ગાયો, અને જે ઘરમાં કેવળ ઘરનો મુખ્ય માણસ કહે તેમ થતું હોય તેવું ઘર – આટલી વાતથી બધા સમુદાયમાં તે ઘરની શોભા નિરંતર વધે છે. કાં તો ઘરમાં સલાહ આપનારો કોઈ ન હોય અથવા ઘરમાં બધા જ પોતાને ડાહ્યા માનતા હોય તેવા ઘરની શોભા ધીરે ધીરે નષ્ટ પામે છે.

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2009

Nagar

નગર (મોનોઇમેજ)
વૃક્ષ
હવે ક્યારે
આવી ચઢશે
આ નગરમાં ?
એ રાહમાં
પંખી બેઠા છે હારબંધ
સવારથી
અગાશીની પાળે !
-પ્રીતમ લખલાણી

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2009

પતિ-પત્નીના જોક્સ

હાસ્યની દુનિયામાં આપનું સ્વાગત છે....
એક ભિખારી : હે સુંદરી, આંધળો છું. મને દસ રૂપિયા આપીશ?
પતિ (પત્નીને): આપી દે...આપી દે. તને સુંદરી કહે છે તો જરૂર આંધળો જ હશે.
*
પોલીસ (મધરાતે જતા દારૂડિયાને પકડતા) : અલ્યા ક્યાં જાય છે?
દારૂડિયો : હું ‘દારૂની માઠી અસરો’ વિશે ભાષણ સાંભળવા જાઉં છું.
પોલીસ : મધરાતે તારા માટે કોણ ભાષણ કરશે?
દારૂડિયો : મારી પત્ની.
*
પતિના ગળે પોતાના હાથ નાખી પતિને વળગીને પત્ની બોલી : કેવું લાગે છે?
પતિ : ભગવાન શંકર જેવું...
પત્ની : એ કેવી રીતે?
પતિ : ભગવાન શંકરને સાપ વીંટળાયા હતા એવું.
*
રસિક : મારી પત્ની બહુ હોશિયાર છે. તે કોઇપણ વિષય પર કલાકો સુધી બોલી શકે છે.
હસમુખ : મારી પત્ની એથી પણ હોશિયાર છે. તે કોઇ વિષય વગર પણ કલાકો સુધી બોલી શકે છે.
*
સવાલ : તમે કોઇને તેની ભૂલ માટે અભિનંદન ક્યારે આપો?
જવાબ : તેના લગ્ન થાય ત્યારે.
*
એક માણસ : મારી પત્ની તો દેવદૂત છે દેવદૂત !
બીજો માણસ : તું નસીબદાર છે, મારી પત્ની તો હજી જીવે છે.
*
પુત્ર : પપ્પા, આપણી પોતાની ભાષાને માતૃભાષા કેમ કહેવાય છે?
પપ્પા : કારણ કે ઘરમાં જે બોલે તેને માતા કહેવાય અને જે મૌન હોય તે પિતા હોય એટલે.
પુત્ર : તો આપણા દેશને માતૃભૂમિ કેમ કહેવાય અને પિતૃભૂમિ કેમ નહિ?
પપ્પા : હવે બધે રાજ મમ્મીઓનું ચાલે છે એટલે...
*
પતિને નોન-વેજ ખાવાનો શોખ હતો. પત્ની સામાન્ય રીતે નોન-વેજ બનાવવાની ના પાડતી. દસમી લગ્નતિથિએ પત્નીએ પતિને ખાતર નોન-વેજ બનાવવાનું વિચાર્યું.
પત્ની : કાલે તારા માટે ચિકન રાંધું?
પતિ : કેમ કાલે શું છે?
પત્ની : આપણી દશમી લગ્નતિથિ.
પતિ : આપણી ભૂલને માટે બિચારું ચિકન શું કામ સહન કરે?
*
કોર્ટમાં લગ્ન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.
ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.
છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.
ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.
એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગ્ન થઇ શકશે.
બંનેના લગ્ન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.
ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.
યુગલે પૂછ્યું : કેમ ?
ઇન્દ્રદેવ બોલ્યા : લગ્ન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગ્ન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
*
પતિ-પત્ની એક કૂવા પાસે જાય છે.
પત્ની કહે,’કૂવામાં પૈસા નાખીને કરેલી ઇચ્છા સાચી પડે એવી માન્યતા છે.’
પતિએ પહેલાં તો વાતને હસી કાઢી. પણ પત્નીનો ખૂબ આગ્રહ હતો એટલે કમને તેણે ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો અને કૂવામાં નાખ્યો.
પછી તેણે પત્નીને એક સિક્કો આપ્યો. કૂવામાં સિક્કો નાખવા માટે પત્ની કૂવા તરફ ઢળી, તેનું બેલેન્સ ગયું અને તે ઊંધા માથે કૂવામાં પડી ગઇ.
પતિને નવાઇ લાગી. તે મનોમન બોલ્યો,’ કૂવામાં એક રૂપિયાનો સિક્કો નાખવાથી આટલી ઝડપથી ઇચ્છા ફળતી હશે એ તો મને ખબર જ નહોતી !’
*
એક દંપતીની દસમી લગ્નગાંઠ નજીક આવી રહી હતી. પતિ કે પત્ની બેમાંથી કોઇને ઍનિવર્સરી ઊજવવાનો મૂડ નહોતો. છતાં પતિએ પત્નીને પૂછ્યું,’આ વર્ષે આપણે ઍનિવર્સરીના દિવસે લોનાવાલા બાજુ ક્યાંક ફરવા જઇએ તો કેવું?
પત્ની કહે.’હું વારેઘડીએ લોનાવાલા જઇને કંટાળી ગઇ છું.’
પતિ કહે,’તો ચલ, હું એક અઠવાડિયાની રજા લઉં છું, આપણે કુલુ- મનાલી જઇએ.’
પત્નીએ જરાય ઉત્સાહ વિના કહ્યું,’મને મૂડ નથી.’
પતિ કહે,’ અરે જો તને ક્યાંય જવાનો મૂડ ન હોય તો કંઇ નહીં. તું પેલા દિવસે કહેતી હતીને કે પેલો હીરાનો સેટ ખૂબ ગમી ગયેલો? ચાલ, શું હું તને એ ડાયમંડનો સેટ ભેટ આપું તો ગમે?
પત્નીનો મૂડ જરાય સારો નહોતો એટલે મનગમતી જવેલરીની વાત સાંભળીનેય તેને કોઇ ફરક ન પડ્યો.
આખરે પતિ કંટાળ્યો. તે કહે, “તો તને ખરેખર જોઇએ છે શું એ કહી દે.”
પત્ની કહે,”માગું એ આપશે?”
પતિ કહે, “ડિવૉર્સ સિવાય જે માંગવું હોય એ માંગજે.”
પત્નીના ચહેરા પર સહેજ ચમક આવી. “શું ખરેખર તમે મને ડિવૉર્સ નથી આપવા ઇચ્છતા? હું તમને એટલી ગમું છું?
પતિ કહે.”ના, ડિવૉર્સ આપી શકું એટલું બજેટ નથી.”

- સંકલન – રાકેશ ઠક્કર, વાપી

મંગળવાર, 25 ઑગસ્ટ, 2009

સમય બહુમૂલ્ય છે

સમય ક્યારેય ઘરડો નથી થતો. સમયના ચહેરા પર ન તો ક્યારેય કરચલી પડે છે, ન તો સુસ્તી આવે છે. ઊલ્ટું તેના ચહેરા પર દિવસે દિવસે નિખાર આવે છે. સમય જો ઘરડો થતો હોત તો ક્યારના કબરમાં તેના પગ લટકી ગયા હોત. હા, તે બીજાને જરૂર ઘરડો કરી દે છે. સમય બહુમૂલ્ય છે, તેને વ્યર્થ ગુમાવશો નહિ. જો સમય એકવાર હાથથી નીકળી ગયો તો ફરીથી આવતો નથી. સમયની પૂજા કરો તો સમય તમને પૂજય બનાવી દેશે. તમે કહો છો, શું કરું, સમય કાપી રહ્યો છું. હું કહું છું, તમે સમયને શું કાપશો, સમય જ તમારી જિંદગી હરપળ કાપી રહ્યો છે.
- તરુણસાગરજી

શુક્રવાર, 21 ઑગસ્ટ, 2009

રાકેશ ઠક્કરની કૃતિઓ

વાંચો 'તારીખ અને તવારીખ' સાપ્તાહિકમાં દરેક અંકમાં રાકેશ ઠક્કરની બાળવાર્તા, બાળગીત વગેરે કૃતિઓ

વાંચો 'તારીખ અને તવારીખ' સાપ્તાહિકમાં દરેક અંકમાં રાકેશ ઠક્કરની બાળવાર્તા, બાળગીત વગેરે કૃતિઓ

મંગળવાર, 18 ઑગસ્ટ, 2009

Gazal

વાતને સાચવી લો,
રાતને સાચવી લો.

શબ્દ કંઇ બોલશો નહિ,
જાતને સાચવી લો.

હાથથી એ સરકતી,
રેતને સાચવી લો!

વિસ્તરે છે મકાનો,
ખેતને સાચવી લો.

જો વધે આમ નફરત,
હેતને સાચવી લો.

રાકેશ ઠક્કર

બુધવાર, 12 ઑગસ્ટ, 2009

New Gazal

દિલ શું મુજ બે-ચાર છે?

પીઠ પાછળ કર્યો વાર છે,
માનજે ખાસ એ યાર છે.

કેમ મુકામ મળશે તને,
મન મહીં માત્ર વિચાર છે.

એમના લગ્નમાં હું નથી,
પ્રેમનો આ કથા સાર છે.

વાતને વાતમાં તોડતા,
દિલ શું મુજ બે-ચાર છે?

- રાકેશ ઠક્કર

આ ગઝલ www.gujaratikavita.com પર પણ વાંચી શકો છો.

મંગળવાર, 11 ઑગસ્ટ, 2009

કડવી વાત

કોઇકે પૂછયું કે, કથાકાર કે પ્રવચનકારને ઉંચે કેમ બેસાડાય છે? રાત હોય અને વીજળી જતી રહે તો આપણે દીવો પ્રગટાવીએ છીએ, પછી તે દીવાને ઊંચી જગ્યાએ મૂકીએ છીએ. કેમ? કારણ કે તે દીવાનો પ્રકાશ બધી બાજુ ફેલાઇ શકે. કથાકાર હોય કે પ્રવચનકાર તેઓ સળગતા દીવા સમાન છે. તેઓ સમ્યગ્જ્ઞાનનો પ્રકાશ સમાજમાં ફેલાવે છે, જેથી માનવીનું મન જ્ઞાનની રોશનીમાં નહાય છે. આ જ કારણે આપણે તેમને ઊંચા બેસાડીએ છીએ. આખરે બુઝાયેલો દીવો બીજાને શું પ્રજ્જવલિત કરશે?
- તરુણસાગરજી

રવિવાર, 9 ઑગસ્ટ, 2009

Gazal

હદ વગરનું પ્રથમ દરદ આપે,
બાદ મીરા સરીખું ૫દ આપે !

કીડી કે ગજ સમું છો કદ આપે,
ચાહું કે લેશ ૫ણ ના મદ આપે !

કોઇ ઉઘારી એ ચલાવે ન‍હી,
એ સમય છે, બઘું નગદ આપે !

ચાલ જીવનની ટૂંકી દઇ,
એ રમતને ના કોઇ હદ આપે !

કર સમર્પિત સ્‍વયંને તું ‘સુઘીર’,
શકય છે પ્રેમની સનદ આપે !
- સુઘીર ૫ટેલ