બુધવાર, 7 ઑક્ટોબર, 2009

દિલ ઢૂંઢતા હૈ

જી ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસદ કે રાત દિન,
બૈઠે રહે તસવ્વુરે – જાનાં કિયે હુએ.’- ગાલિબ

ગાલિબ આ શેરમાં પ્રેમના એ મુગ્ધાવસ્થાના દિવસોની વાત કહે છે જેમાં નિરાંતે પ્રિયતમાની કલ્પના રાત દિવસ કરી શકાતી હતી. એ જમાનો વિતી ગયો છે અને હવે જીવનની વ્યસ્તતામાં આવો પ્રણય સંભવ નથી. માટે દિલ એ ફુરસદ શોધી રહ્યું છે જેમાં મુગ્ધતાનો એ સમય પાછો લાવી શકાય. આ શેરમાં ‘ફિર’ શબ્દ પર ભાર મુકાયો છે જે વિતેલા સમયનો અહેસાસ અપાવે છે. પ્રેમ ભલે હોય પણ મુગ્ધાવસ્થાનો સમય બહુ લાંબો ટકતો નથી. એ દિવસો જેવી કલ્પનાની ઉડાન અને નિરાંત પાછી આવતી નથી. ‘મોસમ’ ફિલ્મમાં ગુલઝારે આ શેરનો મુખડા તરીકે ઉપયોગ કરી એક ગીત રચ્યું હતું. જેમાં અક્ષર ‘જી’ ના સ્થાને ‘દિલ’ શબ્દ વાપર્યો છે.
–સૌ. શ્રી બકુલ બક્ષી.

સોમવાર, 5 ઑક્ટોબર, 2009

વિચારવા જેવા વિચાર

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી. — કાકા કાલેલકર
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે. — યોગવસિષ્ઠ
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. — સ્વામી વિવેકાનંદ
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે. — સ્વામી અખંડઆનંદ સરસ્વતી
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. — સ્વામી વિવેકાનંદ