શુક્રવાર, 24 એપ્રિલ, 2009

home tips

હોમટિપ્સ
જે વ્યકિતને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાઉડર નાખીને એક ચમચી પીવો.
***
કપૂરનું તેલ ફર્નિચરના ખૂણાઓ પર લગાવવાથી માંકડ અને વાંદા થતા નથી.
***
કપડા પર પરસેવાના ડાઘ પડ્યા હોય તો નવસારવાળા પાણીમાં કપડા બોળવાથી ડાઘ દૂર થાય છે.
*****
- રાકેશ ઠક્કરના પ્રથમ પુસ્તક ‘હોમટિપ્સ’ માંથી
E mail- rmtvapi@yahoo.co.in

ગુરુવાર, 23 એપ્રિલ, 2009

sawal jawab

સવાલ- ગળી વસ્તુ ખાધા પછી ચા મોળી કેમ લાગે છે?
જવાબ-
કોઇ પણ વસ્તુને પોતાનો સ્વાદ હોતો નથી. વિવિધ જાતના સ્વાદ પારખવા માટે જીભ પર વિવિધ પ્રકારની સ્વાદગ્રંથીઓ છે. મીઠાઇ ખાઇએ એટલે તેના કણો મીઠો સ્વાદ પારખતી ગ્રંથીમાં પ્રવેશે છે. એટલે ત્યાંના સ્વાદકોષો તેમને ઓળખી કાઢે છે. બીજી જ પળે તેઓ મગજને એ સ્વાદનો સંદેશ રવાના કરે છે. કેમ કે મીઠો, ખાટો કે કડવો એમ દરેક સ્વાદ પારખવાનું કામ તો છેવટે મગજનું છે. હવે એ જાણી લો કે વધુ પડતા મીઠા સ્વાદને કારણે જીભના જ્ઞાનકોષો એક વાર મહત્તમ હદે ઉત્તેજીત થાય છે. એટલે પછી તેના કરતાં ઓછો મીઠો સ્વાદ તેમને જલદી ઉત્તેજીત કરી શકતો નથી. તેથી મીઠાઇ કે કોઇ ગળી વસ્તુ ખાધા પછી ચાનો ઘૂંટડો મોંમાં જાય ત્યારે તેની થોડીક ઓછી મીઠાશને સ્વાદકોષો ધ્યાન પર લેતાં નથી. પરિણામે ગળી વસ્તુ ખાધા પછી ચા મોળી લાગે છે.
- રાકેશ ઠક્કરના નવા પુસ્તક ‘મનના સવાલ વિજ્ઞાનના જવાબ’ માંથી

સોમવાર, 20 એપ્રિલ, 2009

gujarati gazal

ગુજરાતી ગઝલના શેર

જ્યારે સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઇ જુઓ,
ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઇ જુઓ


હોય ભલે ના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની,
મનમાં થાશે ઝીણી ઝરમર, મૂંગામંતર થઇ જુઓ

****
ભેદ જાણી મૃત્યુનો શું કરશું સુધીર?,
ક્યાં હજી જાણી શક્યો છું આ હયાતી!

*****
કહો દરિયાને કે એ ગર્વ છોડી શાંત થઇ બેસે,
પી લેશું એક ઘૂંટે, કાં તરસ મારી જગાડે છે.

- સુધીર પટેલ