સોમવાર, 16 નવેમ્બર, 2009

થાય શું !

જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,

ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,

એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,

એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,

કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી