શનિવાર, 16 જાન્યુઆરી, 2010

થાય શું !

જે થવાનું થૈ ગયું છે, થાય શું !

ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,

ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,

એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,

એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,

કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી

સોમવાર, 11 જાન્યુઆરી, 2010

પ્રાર્થના

હે પ્રભુ,

હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં

તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;

અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં

તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;

પણ હું જો તારી પ્રાપ્તિ માટે જતારી ભક્તિ કરતી હોઉં

તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથીવંચિત ન રાખીશ. (સંત રાબિયા)