બુધવાર, 12 ઑગસ્ટ, 2009

New Gazal

દિલ શું મુજ બે-ચાર છે?

પીઠ પાછળ કર્યો વાર છે,
માનજે ખાસ એ યાર છે.

કેમ મુકામ મળશે તને,
મન મહીં માત્ર વિચાર છે.

એમના લગ્નમાં હું નથી,
પ્રેમનો આ કથા સાર છે.

વાતને વાતમાં તોડતા,
દિલ શું મુજ બે-ચાર છે?

- રાકેશ ઠક્કર

આ ગઝલ www.gujaratikavita.com પર પણ વાંચી શકો છો.

મંગળવાર, 11 ઑગસ્ટ, 2009

કડવી વાત

કોઇકે પૂછયું કે, કથાકાર કે પ્રવચનકારને ઉંચે કેમ બેસાડાય છે? રાત હોય અને વીજળી જતી રહે તો આપણે દીવો પ્રગટાવીએ છીએ, પછી તે દીવાને ઊંચી જગ્યાએ મૂકીએ છીએ. કેમ? કારણ કે તે દીવાનો પ્રકાશ બધી બાજુ ફેલાઇ શકે. કથાકાર હોય કે પ્રવચનકાર તેઓ સળગતા દીવા સમાન છે. તેઓ સમ્યગ્જ્ઞાનનો પ્રકાશ સમાજમાં ફેલાવે છે, જેથી માનવીનું મન જ્ઞાનની રોશનીમાં નહાય છે. આ જ કારણે આપણે તેમને ઊંચા બેસાડીએ છીએ. આખરે બુઝાયેલો દીવો બીજાને શું પ્રજ્જવલિત કરશે?
- તરુણસાગરજી

રવિવાર, 9 ઑગસ્ટ, 2009

Gazal

હદ વગરનું પ્રથમ દરદ આપે,
બાદ મીરા સરીખું ૫દ આપે !

કીડી કે ગજ સમું છો કદ આપે,
ચાહું કે લેશ ૫ણ ના મદ આપે !

કોઇ ઉઘારી એ ચલાવે ન‍હી,
એ સમય છે, બઘું નગદ આપે !

ચાલ જીવનની ટૂંકી દઇ,
એ રમતને ના કોઇ હદ આપે !

કર સમર્પિત સ્‍વયંને તું ‘સુઘીર’,
શકય છે પ્રેમની સનદ આપે !
- સુઘીર ૫ટેલ