ગુરુવાર, 20 જાન્યુઆરી, 2011

વિચાર કણિકાઓ-2

સુ આપણા સંયમ અને દુઃખ આપણી સહનશક્તિનું વજન કરનાર તટસ્થ ત્રાજવું છે. એસ. ભટાચાર્ય

જીવનરીતિ ભલે સરળ-સાદગી ભરી હોય પરંતુ વિચારો તો સદા ઊંચા જ રાખવા જોઈએ. સર મિલ્ટન

જેમ વૃક્ષને તેના ફાલવાના યોગ્ય સમયે ફળ-ફૂલ લાગે છે તેમ માનવીનાં કર્મ ફળ એનો સમય પાકતાં માણસને મળે છે. સંત તુલસીદાસ

થાકેલા માણસને કિલોમીટર જેટલો પ્રવાસ પણ લાંબો લાગે તેમ જેણે ધર્મને જાણ્યો નથી તેને જન્મોજન્મની શૃંખલા લાંબી લાગે છે. બુદ્ધ

કુટુંબમાં માણસની સ્વતંત્રતા, શિસ્ત, ત્યાગની કસોટી થાય છે કારણ કે કુટુંબ એ એકમાત્ર એવી સંસ્થા છે, જે માણસે સ્વયં, પોતાના માટે જ, પોતાની મરજીથી રચી છે. જી.કે. ચેસ્ટરટન

મેં કેવું આલીશાન ઘર બાંધ્યું તે નહિ પણ, મારું ઘર કેટલાં લોકોને માટે વિસામા રૂપ બન્યું, કેટલાંને આશ્વાસન મળ્યું, કેટલાંને ટાઢક, આત્મીયતા મળી, હૂંફ મળી એમાં જ ઘરની ભવ્યતા છુપાયેલી છે. કુન્દનિકા કાપડિયા