શુક્રવાર, 9 એપ્રિલ, 2010

કુછ લોગ પહેચાને ગયે

વો જરા સી બાત પર બરસોં કે યારાને ગયે,
લેકિન ઇતના તો હુઆ કુછ લોગ પહેચાને ગયે.

મહેંદી હસને આ લોકપ્રિય ગઝલને કંઠ આપ્યો છે. શાયરે અહીં એક એવી વાસ્તવિકતાને ઉજાગર કરી છે જેનો અનુભવ ઘણાને થયો હોય છે. ક્યારેક એવું બને છે કે એકાદ નાની સી વાતને લીધે વર્ષો જૂનાં સંબંધોમાં વિચ્છેદ પડી જાય. મનદુખ કરાવે એવી કોઇ વાત કહેવાઇ જાય અને સંબંધોમાં સાંધી ન શકાય તેવી તિરાડ પડી જાય છે. આવી સ્થિતિમાં પણ શાયરને એક આશાનું કિરણ જરૂર દેખાય છે. – ચાલો એટલું તો થયું કે અમુક લોકોનો ખરો પરિચય મળ્યો, જેમને આપણે નિકટના મિત્ર સમજતા હોઇએ એ જયારે જૂના સંબંધો બગાડી દે ત્યારે જ એમની ખરી પહેચાન થાય છે. જો સંબંધો એટલા જ કાચા હોય તો એમને જાળવી રાખવાનો પણ કોઇ અર્થ નથી.
- બકુલ બક્ષી