ગઝલ
યાદ, તો ભગવાનને કરતા રહો,
મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
પ્રેમનો જયાં થાય ગુણાકાર છે,
દુ:ખનો થઇ જાય ભાગાકાર છે.
તીર કે તલવારને ભૂલી જશો,
આ કલમ એથી ય પાણીદાર છે.
યાદ, તો ભગવાનને કરતા રહો,
આફતોનો એટલો આભાર છે.
સાજની મોહતાજ સુંદરતા નથી,
સાદગી બસ આપનો શણગાર છે.
મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
અંતરે શાંતિ તો પારાવાર છે.
- રાકેશ ઠક્કર
- રાકેશ ઠક્કર
http://www.gujaratikavita.com/ પર તા-4/6/2009 ના રોજ આ ગઝલ મુકાયેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો