મંગળવાર, 16 જૂન, 2009

લોકકથા

એક લોકકથા
એક માદા શિયાળ બચ્ચાને જન્મ આપીને મૃત્યુ પામી. શિયાળના આ બચ્ચાને એક સિઁહણ એની સાથે લઇ ગઇ અને પોતાના શિશુ સાથે જ ઉછેર્યુઁ. બધા સાથે રહે, સાથે રમે અને તોફાન પણ કરે. સિઁહ- શિયાળનો ફરક એ બચ્ચાઓમાં દેખાતો નહિ.
પણ, એક દિવસ જંગલમાં એમની સામે હાથી આવ્યો. સિંહના બચ્ચાં તો હાથીનો શિકાર કરવા નહોર તૈયાર કરવા લાગ્યા. પણ શિયાળનું બચ્ચું ડર પામીને ભાગી ગયું. તેણે સિંહણ માતાને કહ્યું, ‘મોટાભાઇ તરીકે મેં આપેલી શિખામણ નાના ભાઇઓએ સ્વીકારી નહિ. હવે શું થશે?’
સિંહણે કહ્યું કે એમાં તારો વાંક નથી. તું મને ધાવીને ઉછર્યું છે. પણ મૂળ પ્રકૃતિ કેવી રીતે દૂર થાય?
તું વીર છે, ચતુર છે, વિદ્વાન છે, દેખાવડો પણ છે; પરંતુ જે કુળમાં તું જન્મ્યો છે તે કુળના લોકો હાથીને હણી નથી શક્તા.
માત્ર એક સાથે રહેવા કે ઊછરવાથી સમાન નથી બની શકાતું.

ટિપ્પણીઓ નથી: