સમય ક્યારેય ઘરડો નથી થતો. સમયના ચહેરા પર ન તો ક્યારેય કરચલી પડે છે, ન તો સુસ્તી આવે છે. ઊલ્ટું તેના ચહેરા પર દિવસે દિવસે નિખાર આવે છે. સમય જો ઘરડો થતો હોત તો ક્યારના કબરમાં તેના પગ લટકી ગયા હોત. હા, તે બીજાને જરૂર ઘરડો કરી દે છે. સમય બહુમૂલ્ય છે, તેને વ્યર્થ ગુમાવશો નહિ. જો સમય એકવાર હાથથી નીકળી ગયો તો ફરીથી આવતો નથી. સમયની પૂજા કરો તો સમય તમને પૂજય બનાવી દેશે. તમે કહો છો, શું કરું, સમય કાપી રહ્યો છું. હું કહું છું, તમે સમયને શું કાપશો, સમય જ તમારી જિંદગી હરપળ કાપી રહ્યો છે.
- તરુણસાગરજી
મંગળવાર, 25 ઑગસ્ટ, 2009
સમય બહુમૂલ્ય છે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો