બુધવાર, 10 ફેબ્રુઆરી, 2010

ગઝલ

ક્યાં પછી કોઈ કોઈનું માને ?
સૌ ગણે સુજ્ઞ પોતપોતાને !

વ્યગ્ર છે વાત સૌ કહેવાને,

પણ ધરે કોણ વાતને કાને ?

‘રામ’ બોલીને ચૂપ થઈ જાશે,

બસ પઢાવ્યું છે એ જ તોતાને !

ચમકી ચમકીને કેટલું ચમકે ?

સૌ ધૂએ છે ઘસી મસોતાને !

ક્યાં સુધી રસ પછી મળે મુજને ?

ચાવતો બસ રહું છું છોતાને !

આ ગઝલ અન્ય કૈં નથી ‘સુધીર’

દર્દનો દઉં હિસાબ શ્રોતાને !
-સુધીર પટેલ

ટિપ્પણીઓ નથી: