ગુરુવાર, 23 ડિસેમ્બર, 2010

ગઝલ સાહિત્યના કેટલાક યાદગાર શેર

ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

મનહરલાલ ચોક્સી

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

ગૌરાંગ ઠાકર

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ભગવતીકુમાર શર્મા

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

નયન દેસાઈ

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !

રતિલાલ 'અનિલ'

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

જલન માતરી

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

બરકત વિરાણી બેફામ

ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.

અંકિત ત્રિવેદી

ટિપ્પણીઓ નથી: