જિંદગી તો જોખમોનો સંગ જાણે,
રક્તને ત્વચાનો હો અનુબંધ જાણે.
રક્તને ત્વચાનો હો અનુબંધ જાણે.
લાગણીના ખેલ છે અસ્તિત્વ-લીલા,
ભૂલવાના એ પછી પ્રસંગ જાણે.
ભૂલવાના એ પછી પ્રસંગ જાણે.
એક રત્નાકર ડહોળી સત્ય લાધ્યું,
આવરી અનૃત ઉભું’તું શંખ જાણે.
આવરી અનૃત ઉભું’તું શંખ જાણે.
ભક્તને ભગવાનના તો ભેદ એવા,
શબ્દથી ઉચ્ચારનો સંબંધ જાણે.
શબ્દથી ઉચ્ચારનો સંબંધ જાણે.
-કીર્તિકાન્ત પુરોહિત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો