સવાલ- ગળી વસ્તુ ખાધા પછી ચા મોળી કેમ લાગે છે?
જવાબ- કોઇ પણ વસ્તુને પોતાનો સ્વાદ હોતો નથી. વિવિધ જાતના સ્વાદ પારખવા માટે જીભ પર વિવિધ પ્રકારની સ્વાદગ્રંથીઓ છે. મીઠાઇ ખાઇએ એટલે તેના કણો મીઠો સ્વાદ પારખતી ગ્રંથીમાં પ્રવેશે છે. એટલે ત્યાંના સ્વાદકોષો તેમને ઓળખી કાઢે છે. બીજી જ પળે તેઓ મગજને એ સ્વાદનો સંદેશ રવાના કરે છે. કેમ કે મીઠો, ખાટો કે કડવો એમ દરેક સ્વાદ પારખવાનું કામ તો છેવટે મગજનું છે. હવે એ જાણી લો કે વધુ પડતા મીઠા સ્વાદને કારણે જીભના જ્ઞાનકોષો એક વાર મહત્તમ હદે ઉત્તેજીત થાય છે. એટલે પછી તેના કરતાં ઓછો મીઠો સ્વાદ તેમને જલદી ઉત્તેજીત કરી શકતો નથી. તેથી મીઠાઇ કે કોઇ ગળી વસ્તુ ખાધા પછી ચાનો ઘૂંટડો મોંમાં જાય ત્યારે તેની થોડીક ઓછી મીઠાશને સ્વાદકોષો ધ્યાન પર લેતાં નથી. પરિણામે ગળી વસ્તુ ખાધા પછી ચા મોળી લાગે છે.
- રાકેશ ઠક્કરના નવા પુસ્તક ‘મનના સવાલ વિજ્ઞાનના જવાબ’ માંથી
ગુરુવાર, 23 એપ્રિલ, 2009
sawal jawab
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો