કોઇકે પૂછયું કે, કથાકાર કે પ્રવચનકારને ઉંચે કેમ બેસાડાય છે? રાત હોય અને વીજળી જતી રહે તો આપણે દીવો પ્રગટાવીએ છીએ, પછી તે દીવાને ઊંચી જગ્યાએ મૂકીએ છીએ. કેમ? કારણ કે તે દીવાનો પ્રકાશ બધી બાજુ ફેલાઇ શકે. કથાકાર હોય કે પ્રવચનકાર તેઓ સળગતા દીવા સમાન છે. તેઓ સમ્યગ્જ્ઞાનનો પ્રકાશ સમાજમાં ફેલાવે છે, જેથી માનવીનું મન જ્ઞાનની રોશનીમાં નહાય છે. આ જ કારણે આપણે તેમને ઊંચા બેસાડીએ છીએ. આખરે બુઝાયેલો દીવો બીજાને શું પ્રજ્જવલિત કરશે?
- તરુણસાગરજી
મંગળવાર, 11 ઑગસ્ટ, 2009
કડવી વાત
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો