શનિવાર, 16 જાન્યુઆરી, 2010

થાય શું !

જે થવાનું થૈ ગયું છે, થાય શું !

ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,

ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,

એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,

એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,

કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

hello... hapi blogging... have a nice day! just visiting here....